Posts

શિક્ષણ વિભાગે સ્કૂલ અને કોલેજ બંધ કરવા બાબતે કરી મોટી જાહેરાત

Image
હાલમાં કોરોના ની સ્થિતિ ને ધ્યાનમાં રાખીને ગુજરાત સરકારે એક મહત્વપૂર્ણ નિર્ણય લીધો છે. આવનારા ૨૩ દિવસો સુધી સ્કૂલ અને કોલેજમાં ઓફલાઈન શિક્ષણ બંધ રાખવાનો નિર્ણય કરવામાં આવ્યો. ૧૦ એપ્રિલ સુધી સ્કૂલ અને કોલેજમાં ફક્ત ઓનલાઇન જ શિક્ષણ આપવામાં આવશે. સ્કૂલ અને કોલેજોમાં લેવામાં આવનાર પરીક્ષા મોકૂફ રાખવામાં આવી. પરિક્ષાનો નવો કાર્યક્રમ હવે પછી જાહેર કરવામાં આવશે. અત્યારે જે પરિક્ષાઓ ચાલી રહી છે તે પણ મોકુફ રાખવામાં આવી છે. wireless earphone

ગુજરાતમાં નહીં થાય લોકડાઉન : સીએમ રૂપાણીની મોટી જાહેરાત, દરરોજ 7 હજાર ટેસ્ટ કરવાનો લક્ષ્યાંક

Image
 રાજ્યમાં વકરતાં કોરોના સંક્રમણને પગલે મુખ્યમંત્રી વિજય રૂપાણીએ પત્રકાર પરિષદ સંબોધી હતી. સતત વણસી રહેલી સ્થિતિ અંગે સીએમ રૂપાણીએ કહ્યું કે, કોરોનાના કેસ સતત વધી રહ્યાં છે, જેને પગલે રાજ્ય સરકારે પૂરતા પગલા લીધાં છે. ગુજરાતમાં ફરી એકવાર કોરોના વિસ્ફોટ થયો છે અને ૯૦ દિવસના અંતરાલ બાદ ૧૧૨૨ કેસ નોંધાયા છે. ગુજરાતમાં ફરી એકવાર કોરોના વિસ્ફોટ થયો છે અને ૯૦ દિવસના અંતરાલ બાદ ૧૧૨૨ કેસ નોંધાયા લોકડાઉન અંગે મહત્વની જાહેરાત કરવામાં આવી છે કે ગુજરાતમાં લોકડાઉન લાગુ નહી થાય.રાત્રી કર્ફ્યૂના સમયમાં બદલાવ અને એએમટીએસ તથા બીઆરટીએસ બસો રાતોરાત બંધ કરવાના રાજ્ય સરકારના નિર્ણય બાદ લોકોમાં ફફડાટ હતો કે કદાચ રાજ્યમાં ફરીથી લૉકડાઉન થઇ શકે છે. આ અંગે સીએમ રૂપાણીએ સ્પષ્ટતા કરતાં જણાવ્યું કે, રાજ્યમાં લૉકડાઉન નહીં થાય. સીએમ રૂાપાણીએ જણાવ્યું કે ગૃહ અને આરોગ્ય ખાતાને સ્પષ્ટ સૂચના આપી દીધી છે, કડકાઇ કરવામાં આવશે. શાળા કોલેજ સંદર્ભમાં આજે બેઠક મળશે - મુખ્યમંત્રી વિજય રૂપાણીનું મોટું નિવેદન - લોકડાઉન નહિ થાય: મુખ્યમંત્રી રૂપાણી - શાળા કોલેજ સંદર્ભમાં આજે બેઠક મળશે - હોળીના તહેવાર અંગે બાદમાં નિર્ણય લેવાશે છેલ...

ખેડૂતોને મળશે હોળીની ભેટ, તહેવાર પહેલા જ આવી જશે PM-KISANનો 8મો હપ્તો, ચેક કરો લિસ્ટમાં તમારું નામ

Image
  કેન્દ્ર સરકારે ખેડૂતોની મદદ વધારવા માટે અનેક નવા પગલા લીધા છે. આ કડીમાં ખેડૂતોની આર્થિક મદદ કરવા માટે પીએમ કિસાન સમ્માન નિધિ યોજનાને શરૂ કરવામાં આવી છે. આ યોજનાના આધારે ખેડૂતોને દર વર્ષે 3 ભાગમાં 6000 રૂપિયાની આર્થિક મદદ કરવામાં આવે છે. તેમાં સીધા જ ખેડૂતોના ખાતામાં 2000 રૂપિયાને ત્રણ ભાગમાં આપવામાં આવી રહ્યા છે. આશા છે કે આ વખતે કેન્દ્ર સરકાર હોળીના તહેવાર પહેલા જ ખેડૂતોના ખાતામાં 8મા હપ્તાના 2000 રૂપિયા જમા કરાવી દેશે.  11.71 કરોડ ખેડૂતોને મળ્યો છે લાભ પીએમ કિસાન સન્માન નિધી યોજનાથી 12 માર્ચ 2021 સુધીમાં 11.71 કરોડ ખેડૂતો તેમાં જોડાઈને લાભ લઈ રહ્યા છે. મોદી સરકાર હોળીની આસપાસ ખેડૂતોના એકાઉન્ટમાં રૂપિયા ટ્રાન્સફર કરી શકે છે. કેન્દ્ર સરકાર એ ખેડૂતોના નામ લિસ્ટમાંથી હટાવી રહી છે જે આ ફાયદો લેવાના હકદાર નથી. આ યોજનાનું ફંડિંગ કેન્દ્ર સરકાર કરે છે. જો તમારા એકાઉન્ટમાં હજુ સુધી પીએમ કિસાન સમ્માન નિધિનો હપ્તો આવ્યો નથી તો તમે ઘરે બેઠા લિસ્ટ જોઈને તમારી સ્થિતિની જાણકારી લઈ શકો છો. આ માટે સૌથી પહેલાં પીએમ કિસાનની અધિકૃત વેબસાઈટ  https://pmkisan.gov.in/ પર જવાનું રહે...

ધૈર્યરાજને બચાવવા માટે મેદાને આવ્યા રાજદીપસિંહ રીબડા, જાણો શું અપીલ કરી

Image
  મહીસાગર જિલ્લાના ખાનપુર તાલુકામાં રહેતા ત્રણ મહિનાના બાળક ધૈર્યરાજની સારવાર કરવા માટે તેને 16 કરોડ રૂપિયાની જરૂર છે. ધૈર્યરાજના પિતા મધ્યમવર્ગમાંથી આવતા હોવાથી તેઓ દીકરાની સારવારનો ખર્ચ ઉઠાવી શકે નથી. તેથી તેના માતા-પિતાએ લોકોની પાસેથી ધૈર્યરાજની મદદ માટેની અપીલ કરી હતી. તેથી હવે લોકો સોશિયલ મીડિયાના માધ્યમથી ધૈર્યરાજ માટે દાન આપી રહ્યા છે અને બાળકની સારવાર માટે અત્યાર સુધીમાં 4.5 કરોડ રૂપિયાની રકમ એકઠી થઇ ગઈ છે. ત્યારે હવે પૂર્વ ધારસભ્ય મહિપતસિંહ જાડેજાના પૌત્ર રાજદીપસિંહ રીબડા પણ લોકોને આ ધૈર્યરાજને બચાવવાની અને યથાશક્તિ દાન આપવાની અપીલ કરી રહ્યા છે. View this post on Instagram A post shared by Rajdeepsinh Jadeja Ribda (@rajdeepsinh_ribda) રાજદીપ રીબડાએ જણાવ્યું હતું કે, જય માતાજી, જય શ્રી રામ હું રાજદીપસિંહ રીબડા. હું આપ સૌનો એક વાત કહેવા આવ્યો છું. આજ દિન સુધી મેં કોઈ સમાજનો કે, પણ પ્રાઈવેટ વ્યક્તિનો એક પણ વીડિયો બનાવ્યો નથી. પણ આજે એક બાળકની જીંદગીનો સવાલ છે એટલે હું મારે આ કરવું પડે પડે છે. તમે છેલ્લા 15 દિવસથી જોયું હશે કે, સોશિયલ મીડિયામાં એક દીક...

અમદાવાદમાં કોરોના મહામારીના કેસનો આંકડો સતત વધતા મહારાષ્ટ્ર જેવી સ્થિતિ થવાના એંધાણ

Image
  અમદાવાદ શહેરમાં કોરોના મહામારી એ ફરી રફતાર પકડી લીધી છે. અમદાવાદ શહેર અને ગ્રામ્યમાં હવે આ ચીની બિમારીના કેસ સતત વધી રહ્યા છે. માટે હવે અમદાવાદની પ્રજાએ સાવચેતી રાખવી જરૂરી બની ગઇ છે. કોરોના સામે જીતવા તકેદારીના ભાગ રૂપે તમામ લોકોએ સોશિયલ ડિસ્ટન્સ રાખી માસ્ક પહેરી રાખવું જરૂરી છે. નહી તો જો સાવચેતી ન રાખી તો મહારાષ્ટ્ર વાળી થતા કોઇ રોકી શક્શે નહીં. હાલમાં મહારાષ્ટ્રના ગણા વિસ્તારોમાં રાત્રિ કરફ્યૂ ની લાદી દેવાયું છે ત્યાં જ કેટલાક વિસ્તારમાં તો લોકડાઉન (Lockdown) પણ જાહેર કરવામાં આવ્યું છે. અમદાવાદમાં કોરોના કેસના આંકડા ફરીથી વધતા અમદાવાદની સિવિલ હોસ્પિટલ માં 300 બેડ વધારાયા છે. કોરોનાના કેસો વધતા હવે ટોટલ 500 બેડ સિવિલ હોસ્પિટલ કાર્યરત કરાયા છે. કેસ વધતા સાવચેતીના ભાગરૂપે સિવિલ હોસ્પિટલમાં બેડ વધારવાની ફરજ પડી છે. તબીબો અનુસાર ચૂંટણી અને લગ્ન મેળાવડાના કારણે કોરોના કેસ વધ્યા છે. જો ફરી કેસો વધશે તો 1200 બેડ હોસ્પિટલ કોવિડ કેર તરીકે લેવાની તૈયારીઓ શરૂ કરી દેવાઇ છે. કોરોના કેસ વધતા 1200 બેડમાં 500 બેડ ફરીથી કાર્યરત કરાયા હોવાનું સિવિલ હોસ્પિટલના સુપ્રિટેન્ટ જે.વી. મોદીએ જણાવ્યું છ...

જુઓ કોણ છે આ માણસ જે આવા વજ્રઘાત પછી પણ સતત હસતો રહે છે અને કહે છે કે મને જીવનમાં કોઈ દુઃખ નથી

Image
  મુંબઈની શેરીઓમાં રીક્ષા ચલાવતા શ્રી દેશરાજજીનો મોટો દીકરો 6 વર્ષ પહેલાં અને નાનો દીકરો 4 વર્ષ પહેલાં અવસાન પામ્યો. મોટા દીકરાના સંતાનો અને વિધવા સહિત સમગ્ર પરિવારની જવાબદારી દેશરાજજી પર આવી. જિગરના ટુકડા જેવા બંને દીકરાઓને અગ્નિદાહ આપીને કોઈપણ પિતા જીવતી લાશ બની જાય પરંતુ પરિવાર માટે દેશરાજજીએ દુઃખને હૃદયમાં દાબીને દીકરાના અવસાનના બીજા જ દિવસથી રિક્ષા ચલાવાની શરૂ કરી દીધી કારણકે 7 વ્યક્તિઓના પેટ પણ ભરવાના હતા. મહિને જેટલી કમાણી થાય એમાંથી અડધા ઉપરાંતની કમાણી તો બાળકોના અભ્યાસ પાછળ જ ખર્ચાઈ જાય. પરિવારના સભ્યો મોટા ભાગે તો દિવસમાં એક જ વખત જમે જેથી બાળકોને ભણાવી શકાય. 9માં ધોરણમાં અભ્યાસ કરતી પૌત્રી દાદાની આ પરિસ્થિતિ પામી ગઈ અને એકદિવસ દાદાને કહ્યું, 'દાદા હું ભણવાનું છોડી દઉં ?' દેશરાજજીએ કહ્યું, 'બેટા, હું બેઠો છું ત્યાં સુધી તારે કોઈ ચિંતા કરવાની જરૂર નથી. તારે ભણવાનું બંધ કરવાનું નથી.' ત્રણ વર્ષ બાદ પૌત્રી 12માં ધોરણની બોર્ડની પરીક્ષામાં 80% લાવી ત્યારે દાદાને પોતાની તપસ્યાનું ફળ મળ્યુ હોય એમ એવા હરખાયા કે પરિણામના દિવસે એને કોઈ પેસેન્જર પાસેથી ભાડાના રૂપિયા લીધ...

5 મહિનાની બાળકીને 22 કરોડનું ઇન્જેક્શન લાગશે; લોકોએ 16 કરોડ ભેગા કર્યા, PM મોદીએ પણ કરી મદદ

Image
 પાંચ મહિનાની તીરાને જીવતા રહેવાની આશા હવે વધી ગઇ છે, તેણે SMA Type 1 બીમારી છે, જેની સારવાર અમેરિકાથી આવતા Zolgensma ઇન્જેક્શનથી જ થઇ શકે છે. આ આશરે 16 કરોડ રૂપિયાનું છે. જેની પર 6 કરોડ રૂપિયા ટેક્સ અલગથી ચુકવવુ પડે છે, ત્યારે તેની કિંમત 22 કરોડ રૂપિયા થઇ જાય છે. મહારાષ્ટ્રના પૂર્વ મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસના પત્ર પર PM નરેન્દ્ર મોદીએ ટેક્સ માફ કરી દીધો છે. ઇન્જેક્શન ના લાગવા પર બાળકી 13 મહિના જ જીવીત રહી શકતી હતી.  તીરા કામતને 13 જાન્યુઆરીએ મુંબઇની SRCC ચિલ્ડ્રન હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી હતી, તેના એક ફેફ્સાએ કામ કરવાનું બંધ કરી દીધુ હતું, તે બાદ તેણે વેન્ટિલેટર પર રાખવામાં આવી હતી. ક્રાઉડ ફંડિગથી જમા કર્યા 16 કરોડ રૂપિયા ઇન્જેક્શન એટલુ મોંઘુ હતું કે સામાન્ય માણસ માટે તેને ખરીદવુ મુશ્કેલ છે.તીરાના પરિવાર માટે પણ આ મુશ્કેલી આવી હતી, તેના પિતા મિહિર IT કંપનીમાં નોકરી કરે છે, માતા પ્રિયંકા ફ્રીલાન્સ ઇલેસ્ટ્રેટર છે. એવામાં તેણે સોશિયલ મીડિયા પર એક પેજ બનાવ્યુ અને તેની પર ક્રાઉડ ફંડિગ શરૂ કરી દીધી હતી. અહી સારો રિસપોન્સ મળ્યો અને અત્યાર સુધી આશરે 16 કરોડ રૂપિયા ભેગા થઇ ચુક્ય...