IT રિટર્ન ફાઈલ કરતા ખેડૂતોને PM-કિસાન યોજનાનો લાભ નહિ મળે,ખાતામાં નહિ આવે 2000 રૂપિયા

 

શરૂઆતમાં આ યોજનામાં ફક્ત નાના અને સીમાંત ખેડૂત પરિવારો જેવા કે જેમની પાસે ફક્ત બે હેક્ટર જમીન ધરાવે છે, તેઓને આ યોજના આવરી લાવવામાં આવી હતી. હવે આ નિયમમાં સુધારો કરીને આ યોજના તમામ ખેડુતો માટે લાગુ કરવામાં આવી છે. જોકે, કેટલાક ખેડૂતોને આ યોજનામાં શામેલ કરવામાં આવ્યા નથી. હાલમાં દેશના 14.5 કરોડ ખેડૂત આ યોજના હેઠળ લાભ લઇ રહ્યા છે.


કેન્દ્ર સરકાર PM-KISAN યોજના હેઠળ ખેડુતોને દર વર્ષે 6 હજાર રૂપિયા આપવામાં આવે છે. આ યોજના 2019 માં શરૂ કરવામાં આવી હતી. આ યોજના અંતર્ગત 6000 રૂપિયાની રકમ પ્રત્યેક 2000 રૂપિયાના ત્રણ હપ્તા દ્વારા લાભાર્થીઓના બેંક ખાતાઓમાં સીધી ટ્રાન્સફર કરવામાં આવે છે.


આ ખેડૂતોનો આ યોજનાનો લાભ નહિ મળે : PM-કિસાનમાંથી બાકાત રાખવામાં આવેલા લોકોમાં સંસ્થાકીય જમીન ધરાવતા , બંધારણીય હોદ્દાઓ ધરાવતા ખેડૂત પરિવારો, રાજ્ય અથવા કેન્દ્ર સરકારમાં સેવા આપતા અથવા નિવૃત્ત અધિકારીઓ અને કર્મચારીઓ તેમજ જાહેર ક્ષેત્રના ઉપક્રમો અને સરકારી સંસ્થાઓ સાથે જોડાયેલા ખેડૂતોને લાભ નહિ મળે . વધારામાં ડોક્ટરો, ઇજનેરો અને વકીલો તેમજ નિવૃત્ત પેન્શનરો જેવા કે 10,000 રૂપિયાથી વધુની માસિક પેન્શનર અને છેલ્લા આકારણી વર્ષમાં આવકવેરો ભરનારા (IT RETURN FILE)પાત્રતા ધરાવતા નથી.

Comments

Popular posts from this blog

પિતાની નાનકડી એવી કરીયાણાની દુકાનને પુત્રએ થોડા જ સમયમાં મોટી આવકનું સાધન બનાવી દીધું.

ગુજરાતમાં નહીં થાય લોકડાઉન : સીએમ રૂપાણીની મોટી જાહેરાત, દરરોજ 7 હજાર ટેસ્ટ કરવાનો લક્ષ્યાંક

ખેડૂતોને મળશે હોળીની ભેટ, તહેવાર પહેલા જ આવી જશે PM-KISANનો 8મો હપ્તો, ચેક કરો લિસ્ટમાં તમારું નામ