Posts

Showing posts from January, 2021

શું બંધ થઈ જશે 100ની જૂની નોટો, જાણો RBIએ શું જવાબ આપ્યો

Image
  RBIના આસિસ્ટન્ટ જનરલ મેનેજર બી મહેશના એક સ્ટેટમેન્ટ ફરીથી નોટબંધીની યાદ અપાવી દીધી છે. બી મહેશે કહ્યું છે કે રિઝર્વ બેંક 5,10 અને 100 રૂપિયાની જૂની નોટો પાછી લેવાની યોજના પર વિચાર કરી રહી છે. જો બધુ સારું રહ્યું તો માર્ચ અને એપ્રિલમાં તેની જાહેરાત કરવામાં આવશે. સમય સમય પર નકલી નોટોના ખતરાને ટાળવા માટે રિઝર્વ બેંક જૂની સીરિઝની નોટોને બંધ કરી દે છે. અધિકૃત જાહેરાત પછી બંધ કરવામાં આવેલી બધી જૂની નોટોને બેંકમાં જમા કરાવવી પડે છે. જમા કરાવેલા કુલ નોટોની કિંમત બેંક ખાતામાં જમા કરી દે છે અથવા નવી નોટ આપે છે. 2 વર્ષ પહેલા RBIએ નવી 100ની નોટ જાહેર કરી હતી. 100 રૂપિયાની નવી નોટ ડાર્ક લવન્ડર કલરની છે અને આ નોટ પર ઐતિહાસિક સ્થળ રાણની વાવનો ફોટો છાપવામાં આવ્યો છે. આ જગ્યાને રાની કી બાવડી પણ કહેવામાં આવે છે. રાણીની વાવ ગુજરાતના પાટણ જિલ્લામાં સ્થિત છે. યુનેસ્કોએ 2014માં આ વાવને વર્લ્ડ હેરીટેજ સાઈટ તરીકે જાહેર કરી છે. બી મહેશે કહ્યું છે કે નવી નોટ જાહેર કરવા છત્તા જૂના 100 રૂપિયાની નોટ પણ ચાલું રહેશે, તેને પણ લીગલ કરન્સી માનવામાં આવશે. 10 રૂપિયાના સિક્કા રિઝર્વ બેંક માટે માથાનો દુખાવો બની ચૂક્યા છે

ધો.3થી 12ના વિદ્યાર્થીઓની વોટ્સએપ પર લેવાશે પરીક્ષા, સેવ કરી લો આ નંબર

Image
રાજ્યના શિક્ષણ વિભાગે એક મહત્ત્વનો નિર્ણય કર્યો છે. જેમાં ધો.3થી 12ના વિદ્યાર્થીઓની Whatsapp બેઝ કસોટી લેવાશે. જેને ધ્યાને લીઈને રાજ્યના શિક્ષણ વિભાગે એક નંબર પમ જાહેર કર્યો છે. પ્રથમ તબક્કાની પરીક્ષા તા.23 જાન્યુઆરીના રોજ શરૂ થશે. જેમાં ધો.3થી 5ની પરીક્ષા લેવાશે. એ પછી દર અઠવાડિયે કસોટીનું આયોજન કરાશે. સેવ કરી લો આ નંબર દરેક વિદ્યાર્થીઓએ 8595524523 પર રજીસ્ટ્રેશન કરાવવાનું રહેશે. સાથે શાળાનો કોડ પણ લખીને મોકલવાનો રહેશે. આ પછી રીપ્લાયમાં સ્કૂલની વિગત આવશે. આ શાળાની વિગત સામે આવ્યા બાદ વિદ્યાર્થીઓએ પોતાની વિગત આપવાની રહેશે. પછી કુલ 10 સવાલના જવાબ આપવાના રહેશે. રાજ્યના શિક્ષણ વિભાગે Whatsappની મદદથી ઓનલાઈન પરીક્ષા લેવાનો નિર્ણય કર્યો છે. જોકે, હાલમાં પણ વિદ્યાર્થીઓ જે તે શાળા સાથે ઓનલાઈન જોડાઈને એજ્યુકેશન મેળવી રહ્યા છે. જ્યારે બોર્ડના વિદ્યાર્થીઓ તકેદારી સાથે શાળામાં જઈ રહ્યા છે. રજીસ્ટ્રેશન કરાવવા માટે વિદ્યાર્થીઓએ આ નંબર પર Hello લખીને મેસેજ કરવાનો રહેશે. ત્યાર બાદ વિદ્યાર્થીઓને એક રીપ્લાય મળી રહેશે. પછી શાળાનો યુ ડાયસ કોડ લખવાનો રહેશે. રાજ્યના શિક્ષણ વિભાગે વિદ્યાર્થીઓની ખરાઈ માટે પણ

"હીના ને iPhone જ જોશે" 14મિનિટનો આ વાર્તાલાપ દીકરી-દીકરાના માતા-પિતાને અને સમાજને ઘણું-ઘણું કહી જાય છે.

Image
  સોશ્યલ મીડિયામાં વાઇરલ થયેલી એક 10 મિનિટની અને બીજી 4 મિનિટની ક્લિપ ધ્યાનપૂર્વક સાંભળી. 14મિનિટનો આ વાર્તાલાપ દીકરી-દીકરાના માતા-પિતાને અને સમાજને ઘણું-ઘણું કહી જાય છે. ઓડિયો સાંભળવા માટે આ લાઈન પર ક્લિક કરો જેની હજુ સગાઈ થઈ છે એવી એક છોકરીની મોટીબેન પ્રથમ 10 મિનિટ છોકરાના પપ્પા સાથે અને પછી 4 મિનિટ છોકરાની મમ્મી સાથે વાત કરે છે. ઘણા મિત્રોએ આ વાતચીતની ઓડિયો ક્લિપ સાંભળી જ હશે. વાતનો મૂળ મુદ્દો એ હતો કે સગાઈ બાદ છોકરાએ છોકરીને MIનો સ્માર્ટ ફોન ગિફ્ટમાં આપ્યો પણ છોકરીની  બહેન એવું કહે છે કે 'આ તો સાવ સામાન્ય કંપનીનો મોબાઈલ છે બીજી કોઈ સારી કંપનીનો ફોન આપવો જોઈએ. મારી બહેન તો આઈફોનનો વિચાર કરતી હતી પણ એને MIનો ફોન મળ્યો. જો એની ફ્રેન્ડ્સ એને પૂછે કે તને તારા ફિયાન્સે કયો ફોન આપ્યો ? તો છોકરી શુ જવાબ આપે ? એને બિચારીએ એની ફ્રેન્ડ્સ સામે નીચે જોવાનું થાય અને એની આબરૂ જાય'   સાલું આપણી આબરુનો અંદાજ મોબાઈલના આધારે નક્કી થશે ? જો એવું જ હોય તો તો ડો.કલામ, રતન ટાટા વગેરે જેવા મહાનુભાવો આબરૂ વગરના ગણવાના ને ? કારણકે એ તો સામાન્ય મોબાઈલનો ઉપયોગ કરતા અને કરે છે. આપણામાંથી મોટાભાગન

1958 માં એક નાની ચકલીને લીધે ચીનમાં થઇ હતી ભયાનક તબાહી, કારણ છે ખુબ જ ચોંકાવનારું

Image
 આપણે સૌ જાણીએ છીએ કે આપણી ધરતી પર ઘણા એવા સજીવો છે કે જેમની પ્રજાતિ લુપ્ત થવાના આરે આવી ગઈ છે, એમાંથી એક છે ચકલી, જે એક સમયે આપણા આંગણામાં દાણા ચણતી જોવા મળતી હતી જે હવે ભાગ્યે જ જોવા મળે છે. એ વાતમાં પણ કોઈ બેમત નથી કે ચકલીની ઘટતી વસ્તી માટે જવાબદાર માનવજાત જ છે. આપણે જ જાતે ચકલીઓના માળાને પીંખી નાખ્યા છે ત્યારે હવે ચકલીઓ લુપ્ત થઇ જાય તો એમાં કઈ નવાઈ પણ નથી ને! ચકલીઓ પર માનવજાતે કરેલા જુલમની વાર્તા ચીનનું એક અભિયાન પણ જણાવે છે, જેમાં આજથી લગભગ 60-62 વર્ષ પહેલા ચીનના શાસકોએ ચકલીઓને શોધી-શોધીને મારી નાખી હતી. ચીનમાં ચાલ્યું હતું ચકલીઓને મારવાનું અભિયાન – 1958માં માઓ જેડોંગે Four Pests Campaign અભિયાન શરુ કર્યું હતું, જેમાં ચાર જીવો – મચ્છર, માખી, ઉંદર અને ચકલીને મારવાનું નક્કી કરવામાં આવ્યું હતું. વિચારીને થોડું અજીબ લાગે કે એવો તો માનવજાતને ચકલીઓથી શું ભય હતો કે જેને કારણે મારી નાખવા માટે અભિયાન ચલાવવાની જરૂર આવી પડી. એવું માનવામાં આવે છે કે મચ્છરોએ મેલેરિયા ફેલાવ્યો, માખીઓએ હૈઝા અને ઉંદરોએ પ્લેગ ફેલાવ્યો, તો એ બધાનો સફાયો કરવો એ માનવહિતમાં છે, પણ ચક્લીઓનો દોષ શું હતો? માઓ જેડોંગે એવુ