Posts

Showing posts from February, 2021

અમદાવાદમાં કોરોના મહામારીના કેસનો આંકડો સતત વધતા મહારાષ્ટ્ર જેવી સ્થિતિ થવાના એંધાણ

Image
  અમદાવાદ શહેરમાં કોરોના મહામારી એ ફરી રફતાર પકડી લીધી છે. અમદાવાદ શહેર અને ગ્રામ્યમાં હવે આ ચીની બિમારીના કેસ સતત વધી રહ્યા છે. માટે હવે અમદાવાદની પ્રજાએ સાવચેતી રાખવી જરૂરી બની ગઇ છે. કોરોના સામે જીતવા તકેદારીના ભાગ રૂપે તમામ લોકોએ સોશિયલ ડિસ્ટન્સ રાખી માસ્ક પહેરી રાખવું જરૂરી છે. નહી તો જો સાવચેતી ન રાખી તો મહારાષ્ટ્ર વાળી થતા કોઇ રોકી શક્શે નહીં. હાલમાં મહારાષ્ટ્રના ગણા વિસ્તારોમાં રાત્રિ કરફ્યૂ ની લાદી દેવાયું છે ત્યાં જ કેટલાક વિસ્તારમાં તો લોકડાઉન (Lockdown) પણ જાહેર કરવામાં આવ્યું છે. અમદાવાદમાં કોરોના કેસના આંકડા ફરીથી વધતા અમદાવાદની સિવિલ હોસ્પિટલ માં 300 બેડ વધારાયા છે. કોરોનાના કેસો વધતા હવે ટોટલ 500 બેડ સિવિલ હોસ્પિટલ કાર્યરત કરાયા છે. કેસ વધતા સાવચેતીના ભાગરૂપે સિવિલ હોસ્પિટલમાં બેડ વધારવાની ફરજ પડી છે. તબીબો અનુસાર ચૂંટણી અને લગ્ન મેળાવડાના કારણે કોરોના કેસ વધ્યા છે. જો ફરી કેસો વધશે તો 1200 બેડ હોસ્પિટલ કોવિડ કેર તરીકે લેવાની તૈયારીઓ શરૂ કરી દેવાઇ છે. કોરોના કેસ વધતા 1200 બેડમાં 500 બેડ ફરીથી કાર્યરત કરાયા હોવાનું સિવિલ હોસ્પિટલના સુપ્રિટેન્ટ જે.વી. મોદીએ જણાવ્યું છ...

જુઓ કોણ છે આ માણસ જે આવા વજ્રઘાત પછી પણ સતત હસતો રહે છે અને કહે છે કે મને જીવનમાં કોઈ દુઃખ નથી

Image
  મુંબઈની શેરીઓમાં રીક્ષા ચલાવતા શ્રી દેશરાજજીનો મોટો દીકરો 6 વર્ષ પહેલાં અને નાનો દીકરો 4 વર્ષ પહેલાં અવસાન પામ્યો. મોટા દીકરાના સંતાનો અને વિધવા સહિત સમગ્ર પરિવારની જવાબદારી દેશરાજજી પર આવી. જિગરના ટુકડા જેવા બંને દીકરાઓને અગ્નિદાહ આપીને કોઈપણ પિતા જીવતી લાશ બની જાય પરંતુ પરિવાર માટે દેશરાજજીએ દુઃખને હૃદયમાં દાબીને દીકરાના અવસાનના બીજા જ દિવસથી રિક્ષા ચલાવાની શરૂ કરી દીધી કારણકે 7 વ્યક્તિઓના પેટ પણ ભરવાના હતા. મહિને જેટલી કમાણી થાય એમાંથી અડધા ઉપરાંતની કમાણી તો બાળકોના અભ્યાસ પાછળ જ ખર્ચાઈ જાય. પરિવારના સભ્યો મોટા ભાગે તો દિવસમાં એક જ વખત જમે જેથી બાળકોને ભણાવી શકાય. 9માં ધોરણમાં અભ્યાસ કરતી પૌત્રી દાદાની આ પરિસ્થિતિ પામી ગઈ અને એકદિવસ દાદાને કહ્યું, 'દાદા હું ભણવાનું છોડી દઉં ?' દેશરાજજીએ કહ્યું, 'બેટા, હું બેઠો છું ત્યાં સુધી તારે કોઈ ચિંતા કરવાની જરૂર નથી. તારે ભણવાનું બંધ કરવાનું નથી.' ત્રણ વર્ષ બાદ પૌત્રી 12માં ધોરણની બોર્ડની પરીક્ષામાં 80% લાવી ત્યારે દાદાને પોતાની તપસ્યાનું ફળ મળ્યુ હોય એમ એવા હરખાયા કે પરિણામના દિવસે એને કોઈ પેસેન્જર પાસેથી ભાડાના રૂપિયા લીધ...

5 મહિનાની બાળકીને 22 કરોડનું ઇન્જેક્શન લાગશે; લોકોએ 16 કરોડ ભેગા કર્યા, PM મોદીએ પણ કરી મદદ

Image
 પાંચ મહિનાની તીરાને જીવતા રહેવાની આશા હવે વધી ગઇ છે, તેણે SMA Type 1 બીમારી છે, જેની સારવાર અમેરિકાથી આવતા Zolgensma ઇન્જેક્શનથી જ થઇ શકે છે. આ આશરે 16 કરોડ રૂપિયાનું છે. જેની પર 6 કરોડ રૂપિયા ટેક્સ અલગથી ચુકવવુ પડે છે, ત્યારે તેની કિંમત 22 કરોડ રૂપિયા થઇ જાય છે. મહારાષ્ટ્રના પૂર્વ મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસના પત્ર પર PM નરેન્દ્ર મોદીએ ટેક્સ માફ કરી દીધો છે. ઇન્જેક્શન ના લાગવા પર બાળકી 13 મહિના જ જીવીત રહી શકતી હતી.  તીરા કામતને 13 જાન્યુઆરીએ મુંબઇની SRCC ચિલ્ડ્રન હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી હતી, તેના એક ફેફ્સાએ કામ કરવાનું બંધ કરી દીધુ હતું, તે બાદ તેણે વેન્ટિલેટર પર રાખવામાં આવી હતી. ક્રાઉડ ફંડિગથી જમા કર્યા 16 કરોડ રૂપિયા ઇન્જેક્શન એટલુ મોંઘુ હતું કે સામાન્ય માણસ માટે તેને ખરીદવુ મુશ્કેલ છે.તીરાના પરિવાર માટે પણ આ મુશ્કેલી આવી હતી, તેના પિતા મિહિર IT કંપનીમાં નોકરી કરે છે, માતા પ્રિયંકા ફ્રીલાન્સ ઇલેસ્ટ્રેટર છે. એવામાં તેણે સોશિયલ મીડિયા પર એક પેજ બનાવ્યુ અને તેની પર ક્રાઉડ ફંડિગ શરૂ કરી દીધી હતી. અહી સારો રિસપોન્સ મળ્યો અને અત્યાર સુધી આશરે 16 કરોડ રૂપિયા ભેગા થઇ ચુક્ય...